સુરતઃ તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પોતે અપરણિત હોવાનું કહીને તાંત્રિકે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાંત્રિકે અગમ્ય કારણો સર યુવતીને ત્યજી દીધી હતી જેને
 
સુરતઃ તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પોતે અપરણિત હોવાનું કહીને તાંત્રિકે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાંત્રિકે અગમ્ય કારણો સર યુવતીને ત્યજી દીધી હતી જેને પગલે યુવતીએ તાંત્રિક સામે ફરિયાદ નોધાવતા પોલીસે વડોદરાના આરોપી હિરેન પુરોહિતની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોધનીય બાબત છે કે પીડિતાના શરીરમાં કોઈ અનિસ્ટ તત્વ છે તેવું કહી વિધિના બહાને જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને મીઠાઇમાં ઘેની પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જો કે તાંત્રિકને ડર લાગતા યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ યુવતીને તાંત્રિક પતિના ગોરખધંધા વિશે ગંધ આવી ગઈ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્યારે બીજી તરફ આ ગોરખધંધા વિશે જાણકારી મળતા પત્નિના તળિયેથી જમની ખસી ગઈ હતી. ત્યારે આ મામલે તેણે પતિ સામે ગંભીર તપાસ હાથ ધરી જેમાં તાંત્રિકના અનેક ગોરખધંધા સામે આવ્યા હતા જેને પગલે યુવતીએ તાંત્રિક પતિ સામે ફરિયાદ નોધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી હતી. અને સઘન પૂછ પરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.