સુરત: પ્રેમલગ્નના ચાર મહિનામાં જ યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના વિસ્તરમાં રહેતા યુવક પાર્થ યોગેશ વૈદ્ય સાથે આંખ મળી જતા પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ સમયાંતરે તેના પિતા
 
સુરત: પ્રેમલગ્નના ચાર મહિનામાં જ યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના વિસ્તરમાં રહેતા યુવક પાર્થ યોગેશ વૈદ્ય સાથે આંખ મળી જતા પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી ધારાએ તેના પિતાને કહ્યું હતું કે, પાર્થ કંઇ કામધંધો કરતો નથી અને વારંવાર ઝઘડા કરે છે જેથી પુત્રીનું લગ્નજીવન સુખમય થાય તે હેતુથી પિતા આર્થિક મદદ કરતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દરમ્યાનમાં ધારાએ તેના માતા-પિતાને નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા. જયાં માતા-પિતાને જોઇ રડી પડનાર ધારાએ પાર્થ કંઇ નોકરી કરતો નથી અને ઝઘડા કરે છે તથા સાસુ-સસરા પણ પાર્થને મદદ કરે છે અને જાતિ વિષયક તથા પૈસા લઇ આવવા દબાણ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પાર્થના રોજબરોજના ઝઘડાથી કંટાળી ધારા પરત ઘરે આવી ગઇ હતી. પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી માતા મંજુલાએ પણ આપધાતનો પ્રયાસ કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આઘાતમાં સરી પડેલી ધારાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, લગ્નના ચાર માસમાં યુવતીના આ પગલાંને કારણે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરુ કર હતી. જેમાં અઠવાલાઇન્સ પોલીસે ધારાને આપઘાતનું પગલું ભરવા મજબૂર કરનાર પતિ પાર્થ અને સસરા યોગેશ શશીકાંત વૈદ્ય પ્રથમ તો આપઘાતની દુર્પ્રેરણા ગુનો દાખલ કરી પતિ અને સસરા પોલીસે ધરપકડ કરી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.