બચીગયા@રાધનપુર: માત્ર 25 ઓક્સિજન લેવલ રહ્યું, યુવાને જીવ જાળવી લીધો, દવાથી નવજીવન

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર કોરોનાકાળ વચ્ચે ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા થાય છે. દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે તેને સમયસર સારવાર આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડૉકટર દ્વારા સતત તેમના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરીને શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં માત્ર 25 ઓક્સિજન
 
બચીગયા@રાધનપુર: માત્ર 25 ઓક્સિજન લેવલ રહ્યું, યુવાને જીવ જાળવી લીધો, દવાથી નવજીવન

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

કોરોનાકાળ વચ્ચે ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા થાય છે. દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે તેને સમયસર સારવાર આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. ડૉકટર દ્વારા સતત તેમના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરીને શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં માત્ર 25 ઓક્સિજન લેવલ ધરાવતા યુવાનને નવું જીવન મળ્યાંની ઘટના સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના નાનાપુરા ગામના 27 વર્ષના યુવાન પ્રહલાદભાઈ ઠાકોરને કોરોના થયા બાદ રોજ શરીરમાં ઓક્સિજનનું સ્તર એકદમ ઘટીને ૨૫ થઈ ગયું હતું. જેનાથી ડરી ગયેલા પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો પણ કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડૉ.અરવિંદ ચૌધરી અને એમની ટીમ દ્વારા દર્દીની સ્થિતિની ગંભીરતાને જાણીને તાત્કાલિક સારવાર કરવામાં આવી.

બચીગયા@રાધનપુર: માત્ર 25 ઓક્સિજન લેવલ રહ્યું, યુવાને જીવ જાળવી લીધો, દવાથી નવજીવન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રહલાદભાઈનું ઓક્સિજન લેવલ ઊંચું લાવવા માટે એમને એનઆરબીએમ માસ્ક પર લઈને સારવાર શરૂ કરવામાં આવી. જ્યાં તેમને દરરોજ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન અને ઈન્જેક્શન આપવામાં આવ્યા. પરિણામે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી અને ઓક્સિજન લેવલ સામાન્ય થયું. દર્દીના ફેફસાંની નળીઓ ખુલે અને મજબૂત બને એ માટે સ્પાયરોમેટ્રી થેરાપી કરવામાં આવી.

સમગ્ર મામલે ડો.અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતુ કે, કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં એમનું મનોબળ મજબૂત રહે એ ખૂબ જરૂરી છે. તેઓ સકારાત્મક બની રહે એ માટે અમે પૂરતા પ્રયાસો કરી તેમને હિંમત આપીએ છીએ. આ તરફ પ્રહલાદભાઈના પિતા અમૃતભાઈ ઠાકોરે જણાવ્યું હતુ કે, અહીંના ડોકટર અને સ્ટાફે મારા પુત્રને જીવન બક્ષવા માટે ખૂબ મહેનત કરી છે. તેમના પ્રયાસોથી મારો પુત્ર આજે અમારા પરિવાર સાથે છે. આવા દેવદૂત સમાન ડૉકટરોનો અમે આભાર માનીએ છીએ.