ધાનેરામાં 35 વર્ષીય આશાસ્પદ યુવાને આપધાત કરી લેતા ચકચાર

અટલ સમાચાર,ધાનેરા બનાસકાંઠાના ધાનેરા ખાતે ૮ ફેબ્રુઆરીએ વકીલ તરીકે પ્રેકટીસ કરતા એક આશાસ્પદ યુવાને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત અનુસાર ધાનેરાના અનાપુરગઢ ગામના ફાલ્ગુનભાઇ રાજગોર નામના એક યુવાને અગમ્ય કારણોસર પોતાની ઓફીસમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતિ મુજબ ફાલ્ગુનભાઇ રાજગોર વકીલ તરીકે ધાનેરા કોર્ટમાં પ્રેકટિસ કરતા હતા. એક આશાસ્પદ
 
ધાનેરામાં 35 વર્ષીય આશાસ્પદ યુવાને આપધાત કરી લેતા ચકચાર

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠાના ધાનેરા ખાતે ૮ ફેબ્રુઆરીએ વકીલ તરીકે પ્રેકટીસ કરતા એક આશાસ્પદ યુવાને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત અનુસાર ધાનેરાના અનાપુરગઢ ગામના ફાલ્ગુનભાઇ રાજગોર નામના એક યુવાને અગમ્ય કારણોસર પોતાની ઓફીસમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતિ મુજબ ફાલ્ગુનભાઇ રાજગોર વકીલ તરીકે ધાનેરા કોર્ટમાં પ્રેકટિસ કરતા હતા. એક આશાસ્પદ યુવાને આપધાત કર્યો હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે ઘટનાસ્થળે જઇ મૃતકની લાશને પીએમ માટે સિવિલ મોકલી હતી.