ટેક્નોલોજી: પાણી પીતા જ પ્લાસ્ટિકની બોટલ થઇ જશે નષ્ટ, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
આજકાલ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે, લોકો બહાર નીકળતી વખતે સાથે પાણીની બોટલ નથી રાખતા અને પછી અને ઠંડા પાણીની જરૂર પડ્યો બહારથી બોટલ ખરીદી લેતા હોય છીએ,હવે પ્લાસ્ટિક બોટલમાં આવતા કેમીકલ ન કેવળ કેન્સર ફેલાવે છે પરંતુ તેમાં પેટની બીમારીઓ કબજીયાત જેવી બીમારીઓ ઉપરાંત યાદશક્તિ પર પણ ફર્ક પડે છે, પ્લાસ્ટિકની પાણીની બોટલ પર્યાવરણનેતો નુક્સાન કરે જ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર હવે બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહિ છે,આનાથી બનેલી પાણીની બોટલ અમુક સમયમાં આરમેળે જ નષ્ટ થઇ જશે.
આના ઉરયોગથી આખા દેશના પ્લાસ્ટિક ઉપયોગ પર રોક લગાવવી સરળ બનશે.હાલ યુરોપ અને બીજા ઘણા દેશ બાયોડિગ્રેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, બાયોડિગ્રેબલ પ્લાસ્ટિકના ઉપયોગ માટે પ્રઓગો હાલ છેલ્લા ચરણમાં છે. બાયોડિગ્રેબલ પ્લાસ્ટિક 99 ટકા પ્લાસ્ટિક છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી ઓફ પ્લાસ્ટિક એન્જીનરિંગ એન્ડ ટેક્નોલોજી આની તપાસ કરી રહ્યા છે.તે એ બાબતની તપાસ કરી રહ્યા છે તે કેટલા સમયમાં નષ્ટ થાઇ છે.