ગુજરાતઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી

અટલ સમાચાર, ડેસ્ક સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ગુજરાતઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી

અટલ સમાચાર, ડેસ્ક

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં 10907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં 40,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.