ચોરી@થરાદ: મંદીરમાં રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા, ઘટના સીસીટીવીમાં કેદ
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) થરાદના નારણદેવી આશાપુરી માતાજીના મંદીરે ગતરાત્રીએ ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ દોડી આવ્યા હતા. તસ્કરો માતાજીના મંદીરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમ લઇ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે આરોપીઓએ ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. અટલ
Nov 22, 2019, 15:09 IST
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
થરાદના નારણદેવી આશાપુરી માતાજીના મંદીરે ગતરાત્રીએ ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ દોડી આવ્યા હતા. તસ્કરો માતાજીના મંદીરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમ લઇ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે આરોપીઓએ ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ ખાતે આવેલ નારણદેવી આશાપુરા માતાજીના મંદીરે ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદીરમાંથી માતાજીનો મુગટ, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જોકે આજે સવારે ઘટનાની ખબર પડતા પોલીસને જાણ કરાઇ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છ.