આ પાકીસ્તાન સુધરવાનું નથીઃ શ્રીલંકા આતંકી હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન

અટલ સમાચાર, ડેસ્ક જેમકે તમે સૌ જાણો છો કે અવાર-નવાર દરેક દેશો પર હુમલા થઈ રહ્યા છે તેમાં આતંકવાદમાં પાકિસ્તનનો હાથ હોય છે. શ્રીલંકાના કોલંબોમાં ગયા રવિવારે થયેલા આતંકી હુમલામાં મરનાર લોકોની સખ્યા 400ને પાર થઈ છે. આ ઘટના કોલંબો સોલીસે ગુરુવાર એક મોટી કારયવાહી અંતર્ગત પાકિસ્તાનના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં આતંકીઓને
 
આ પાકીસ્તાન સુધરવાનું નથીઃ શ્રીલંકા આતંકી હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન

અટલ સમાચાર, ડેસ્ક

જેમકે તમે સૌ જાણો છો કે અવાર-નવાર દરેક દેશો પર હુમલા થઈ રહ્યા છે તેમાં આતંકવાદમાં પાકિસ્તનનો હાથ હોય છે. શ્રીલંકાના કોલંબોમાં ગયા રવિવારે થયેલા આતંકી હુમલામાં મરનાર લોકોની સખ્યા 400ને પાર થઈ છે. આ ઘટના કોલંબો સોલીસે ગુરુવાર એક મોટી કારયવાહી અંતર્ગત પાકિસ્તાનના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં આતંકીઓને બોમ્બ બનાવવાનો સમાન અને અન્ય સુવિધાઓ પુરી પાડી હતી.

અહેવાલ મુજબ હાલમાં આ તમામ 9 પાકિસ્તાની આરોપીઓની અલગ-અલગ પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા ગુરુવારના રોજ સવારે પણ શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દૂર પુગોડા વિસ્તારમાં એક ધમાકાનો અવાજ સંભળાયો હતો. એ હુમલામાં કોઇ જાનહાની નથી થઇ.

આ હુમલા દરમિયાન તપાસમાં હરરોજ કઈક નવો ખુલાસો થાય છે. શ્રીલંકન સરકારના મંત્રી લક્ષ્મણ કિરિયેલ્લાએ પોતાની ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ પર જ સવાલ ઉભા કરી દીધઆ હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, 9 આત્મઘાતી હુમલાવરમાં 1 મહિલા પણ હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISI)એ લીધી છે.