કોંગ્રેસના ટોચના નેતા વેન્ટિલેટર પર, ભરતસિંહના લાંબા આયુષ્ય માટે સમર્થકો મહાદેવના શરણે
અટલ સમાચાર. ડેસ્ક
કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહ સોલંકીનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને વડોદરાથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.મંગળવારે ભરતસિંહની તબિયત વધારે બગડીતા તેમને વેન્ટિલેટર પર રખાયા છે. ભરતસિંહ ઝડપથી સ્વસ્થ્ય બને અને તેમના લાંબા આયુષ્ય માટે સમર્થકો મહાદેવના શરણે પહોચ્યા હતા. અને યજ્ઞ કરી ભરતસિંહના લાંબા આયુષ્ય માટે આજીજી કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરતસિંહ સોલંકીની 14 દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે ઓક્સિજન સપોર્ટ બાદ વેન્ટીલેટર ઉપર રખાયા છે. 2 વખત પ્લાઝમા અપાયાં બાદ પણ તબિયતમાં સુધારો જોવા મળ્યો નથી. ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડાતા ચિંતાનો માહોલ છવાયો છે.શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે.
ભરતસિંહના લાંબા આયુષ્ય માટે સમર્થકો મહાદેવના શરણે
ક્ષત્રિય સમાજના દીગ્ગજ અગ્રણી,પુર્વ કેન્દ્રીય મિનિસ્ટર ભરતસિંહ સોલંકીના તંદુરસ્ત સ્વાસ્થ્ય,નિરોગી શરીર,લાંબુ આયુષ્ય માટે આજે વિસનગર તાલુકાના પુદગામ મુકામે પ્રાચીન 11મી સદીના સ્વયંભુ જ્યૌર્તિલિંગ સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં અભિજીતસિંહ બારડ, કીર્તિસિંહ ઝાલા, ભોપાજી,ભરતજી, શૈલેશભાઈ,રણજીતજી,રામજીભાઈ જેવાં સામાજિક-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મહાદેવને આજીજી કરી ભરતસિંહ સોલંકીના લાંબા આયુષ્યની માંગણી કરી હતી.