દુર્ઘટના@દ્રારકા: દર્શન કરી પરત ફરતાં મહેસાણાના પરિવારને અકસ્માત, 4 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દ્રારકાધીશના દર્શન કરી પરતાં ફરી રહેલા મહેસાણાના પરિવારે માર્ગ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. આજે બપોરના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિનાના ઘટના સ્થળે અને ગંભીર ઇજા પામેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
 
દુર્ઘટના@દ્રારકા: દર્શન કરી પરત ફરતાં મહેસાણાના પરિવારને અકસ્માત, 4 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દ્રારકાધીશના દર્શન કરી પરતાં ફરી રહેલા મહેસાણાના પરિવારે માર્ગ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. આજે બપોરના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિનાના ઘટના સ્થળે અને ગંભીર ઇજા પામેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

દ્વારકા જિલ્લાના ધ્રેવાડ નજીક આજે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં બાદ તેમનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલો પરીવાર મહેસાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ તરફમોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.