દુર્ઘટના@અમદાવાદ: ST બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. શહેરના વટવા જીઆઇડીસી માર્ગ પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અટલ સમાચાર આપના
Aug 29, 2020, 10:57 IST
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. શહેરના વટવા જીઆઇડીસી માર્ગ પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદની વટવા જીઆઇડીસી માર્ગ પર નિરમા કંપની પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. બસના ડ્રાઈવરને અન્ય વાહનચાલકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. બસ સાથે અથડાતા રીક્ષાના કુરચો થઈ ગયો હતો. દાહોદથી કચ્છના મુંદરા બંદર જઈ રહેલી સરકારી એસટી બસે અકસ્માત કર્યો હતો. વાહનચાલકોએ જશોદાનગરથી બસ ડ્રાઈવરને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત થતા બસમાં સવાર મુસાફરો રસ્તા પર જ અટવાયા હતા.