દુર્ઘટના@અમીરગઢ: નેશનલ હાઇવે પર ફરી અકસ્માત સર્જાયો, એકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ કોરોના મહામારી વચ્ચે અમીરગઢ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે લક્ઝરી બસ પલટી મારી જતાં અકસ્માતની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ લક્ઝરી બસમાં સવાર સાત જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા
 
દુર્ઘટના@અમીરગઢ: નેશનલ હાઇવે પર ફરી અકસ્માત સર્જાયો, એકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

કોરોના મહામારી વચ્ચે અમીરગઢ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે લક્ઝરી બસ પલટી મારી જતાં અકસ્માતની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ લક્ઝરી બસમાં સવાર સાત જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પહોંચી ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાન અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાનના જયપુર થી એક લક્ઝરી બસ મુસાફરોને લઈને અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમ્યાન અમીરગઢ બોર્ડર પાસે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ તરફ અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જોકે સાત જેટલા મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.