દુર્ઘટના@અમરેલી: ચોટીલા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, કારચાલકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા. આ તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી
 
દુર્ઘટના@અમરેલી: ચોટીલા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, કારચાલકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા. આ તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલીના બારમણ ગામનો રહેવાસી પરિવાર ચોટીલા દર્શન કરવા નીકળ્યો હતો. વહેલી સવારે અલટો કારમાં સવાર પરિવારના પાંચ સભ્યો માં ચામુંડાના દર્શને જવા નીકળ્યા હતા. પરંતુ ખાંભાના નાનુડી લપાળા ડુંગર પાસે કારને અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કાર રોડ પર પાર્ક થયેલી બંધ ટ્રક પાછળ જોરદાર ભટકાઈ હતી. સિમેન્ટ ભરેલાં ટ્રક સાથે અલ્ટો કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતમાં અલ્ટો કાર ચલાવનાર શખ્સનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ તરફ અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સાવરકુંડવા ખાંભાની હોસ્પિટલમાં 108ની મદદથી સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ, જોરદાર ટક્કરથી ટ્રકનો સામાન પણ ફંગોળાયો હતો.