દુર્ઘટના@અમરેલી: IBની કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમરેલી-ઉના ધોરી માર્ગ પર આવેલી અમર ડેરી પાસે આઇ.બી.ના ઓફીસરની કાર સાથે ડબલ સવારી બાઇક ધડાકાભેર અથડાતા વાંકીયા ગામના બે-પ્રૌઢના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે. તાલુકા પોલીસે બાઇક ચાલક મૃતક સામે ગુંનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા
 
દુર્ઘટના@અમરેલી: IBની કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલી-ઉના ધોરી માર્ગ પર આવેલી અમર ડેરી પાસે આઇ.બી.ના ઓફીસરની કાર સાથે ડબલ સવારી બાઇક ધડાકાભેર અથડાતા વાંકીયા ગામના બે-પ્રૌઢના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે. તાલુકા પોલીસે બાઇક ચાલક મૃતક સામે ગુંનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી મૃતકોનું પી.એમ. કરાવી કારના ચાલક કિરીટસિંહ પ્રતાપસિંહ મહીડાની ફરિયાદ પરથી બાઇક ચાલક ભાયલાલ ગોબરભાઇ જુવાદરીયા સામે ગુંનો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલી તાલુકાના વાંકીયા ગામે રહેતા ભાયલાલ ગોબરભાઇ જુવાદરીયા (ઉ.વ.54) અને બાલાભાઇ મનજીભાઇ નંદાણીયા (ઉ.વ.60) સહિત બંને પ્રૌઢ બાઇક લઇને અમરેલી-ઉના માર્ગ પર અમર ડેરી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સામેથી આવતી જીજે 18 BB 6434 નંબરની સરકારી કાર સાથે ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાયલાલભાઇ જુવાદરીયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાલાભાઇ નંદાણીયાને સારવાર મળે તે પૂર્વે રસ્તામાં દમ તોડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક તપાસ મુજબ અમદાવાદ શાહીબાગ ખાતે આવેલી આઇ.બી.રીઝીયનમાં ફરજ બજાવતા ડીસીઆઇ જગદીશ ચાવડા ઉના ખાતે કોર્ટ મુદ્તે ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ ફરતી વેળાએ અમરેલી નજીક પહોંચ્યા ત્યારે બાઇક ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી.ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.