દુર્ઘટના@આણંદઃ ટેમ્પો કેનાલમાં ખાબક્યો, 2ના મોત, 12નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આણંદના સોજીત્રા પાસેથી પસાર થતી કેનાલમાં મંગળવારે મોડી સાંજે નાનો ટેમ્પો ખાબક્યો હતો. જેમાં ટેમ્પામાં 17 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોનાં જીવ ગયા છે જ્યારે 12 મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. જ્યારે ત્રણ લોકો પાણીમાં તણાતા લાપત્તા બન્યા છે.
 
દુર્ઘટના@આણંદઃ ટેમ્પો કેનાલમાં ખાબક્યો, 2ના મોત, 12નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આણંદના સોજીત્રા પાસેથી પસાર થતી કેનાલમાં મંગળવારે મોડી સાંજે નાનો ટેમ્પો ખાબક્યો હતો. જેમાં ટેમ્પામાં 17 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોનાં જીવ ગયા છે જ્યારે 12 મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. જ્યારે ત્રણ લોકો પાણીમાં તણાતા લાપત્તા બન્યા છે. હાલ તેમની શોધખોલ ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોજિત્રા સીમમાંથી પસાર થતી મોટી નહેર પાસે સાંકડો રસ્તો છે. ત્યાંથી મંગળવારે મોડી સાંજે નાના ટેમ્પો ચાલકે સામેથી વાહન આવતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે 17 ખેતમજૂરો ભરેલી નાનો ટેમ્પો કેનાલમાં ખાબક્યો. આ બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમણે બાર વ્યક્તિઓને બચાવી લીધા હતા. જોકે, ડૂબી જવાને કારણે બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ લાપત્તા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી મુજબ આઠ મહિલા સહિત 16 ખેતમજૂરો સોજિત્રા ગામે ડાંગર કાપવા માટેની મજૂરીકામે ગયા હતા. દરમિયાન, મજૂરીકામ પૂરૂં કરી સાંજે છ વાગ્યે તેઓ ઘર તરફ પરત આવી રહ્યા હતા. ચાલક લલિત તળપદા પુરપાટ ઝડપે સોજિત્રા સીમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે અચાનક સામેથી વાહન આવતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમની ટેમ્પો પાસેથી પસાર થઈ રહેલી કેનાલમાં ખાબકી હતી. આ બનાવ બાદ લોકોની બૂમાબૂમથી આજુબાજુના ખેતરના શ્રમિકો તથા સ્થાનિક તરવૈયા દોડી આવ્યા હતા અને તેમણે બચાવ કામગીરી હાથ ધરીને 12 જણાંને બચાવી લીધા હતા.

આ બનાવની જાણ આણંદ ફાયરબ્રિગેડ અને સોજિત્રા અને પેટલાદ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે બે મહિલા જેમાં ચાલકની પત્ની મધુબેન તળપદા અને સવિતા કનુ તળપદાનું (રહે. દંતેલી) નું મોત નીપજ્યું હતું. જ્યારે પાણીનું વ્હેણ હોય અર્જુન મોહન તળપદા (રહે. કણીયા), ભારતી રણછોડ તળપદા અને પારૂલ ચંદુ તળપદા (બંને રહે. દંતેલી) લાપત્તા બન્યા છે.