દુર્ઘટના@ડીસા: જૈન પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોના મોતથી પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર,ડીસા દિવાળીના તહેવારો બાદ રાજ્ય સહિત દેશભરમાં કોરોના કહેરની સાથે અકસ્માતની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ડીસાના જૈન પરિવારને છેક રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડતાં ર લોકોના મોત થયા હતા. ઘટનાને લઇ પરિવારજનો સહિત જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આ તરફ ગત મોડીરાત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવીલમાં લાવવામાં આવ્યા હોવાની
 
દુર્ઘટના@ડીસા: જૈન પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોના મોતથી પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર,ડીસા

દિવાળીના તહેવારો બાદ રાજ્ય સહિત દેશભરમાં કોરોના કહેરની સાથે અકસ્માતની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ડીસાના જૈન પરિવારને છેક રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડતાં ર લોકોના મોત થયા હતા. ઘટનાને લઇ પરિવારજનો સહિત જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આ તરફ ગત મોડીરાત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવીલમાં લાવવામાં આવ્યા હોવાની વાત સામે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ડીસા: જૈન પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોના મોતથી પરીજનો શોકમગ્ન

બનાસકાંઠા જીલ્લાના ડીસાના સુરેશભાઈ શાહ (સુરેશ પરાગ)ના પરિવારને છેક રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના ગુડામાલાની નજીક જેસીબી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોઝારા અકસ્માતમાં સુરેશભાઈનાં પત્ની અને ડ્રાયવરનું કમકમાટીભર્યું મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. નાકોડા દર્શન કરવા જતી વખતે સર્જાયેલ અકસ્માતમાં ઇનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ તરફ બંને કમનસીબ મૃતકોના મૃતદેહોને મોડી રાત્રે પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલમાં લવાયા હતા.

દુર્ઘટના@ડીસા: જૈન પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 2 લોકોના મોતથી પરીજનો શોકમગ્ન