દુર્ઘટના@ધનસુરા: ટ્રેક્ટરની ટક્કરે બાઇકસવાર ફંગોળાયો, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર, ધનસુરા ધનસુરાના રમોસ-સરતાનપુર રોડ ઉપર ટ્રેકટ્ર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
 
દુર્ઘટના@ધનસુરા: ટ્રેક્ટરની ટક્કરે બાઇકસવાર ફંગોળાયો, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર, ધનસુરા

ધનસુરાના રમોસ-સરતાનપુર રોડ ઉપર ટ્રેકટ્ર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વડવાસા ગામના વતની બલવંતસિહ પરમાર બાઇક લઇ રમોસ ગામે જવા નિકળ્યા હતા. આ દરમ્યાન અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રમોસ-સરતાનપુર રોડ ઉપર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બલવંતસિંહને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવીલ ખસેડ્યા બાદ તેમનું કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજન અર્જુનસિંહ પરમારે ધનસુરા પોલીસ મથકે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.