દુર્ઘટના@હિંમતનગર: રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બસ પલ્ટી મારી ગઈ, એકનું મોત, 25 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે રક્ષાબંધનની પૂર્વ સંધ્યા સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના સમયે અંબાજી અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ સાથે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની
 
દુર્ઘટના@હિંમતનગર: રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બસ પલ્ટી મારી ગઈ, એકનું મોત, 25 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે રક્ષાબંધનની પૂર્વ સંધ્યા સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના સમયે અંબાજી અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ સાથે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના વકતાપુર ગામ નજીક ગઈકાલે સાંજના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ અંબાજી થી હિંમતનગર તરફ આવી રહેલી લક્ઝરી બસ વક્તાપુર ગામ નજીક અચાનક પલટી મારી ગઇ હતી સ્થાનિકોના મત મુજબ આ આ લક્ઝરી બસમાં આશરે 50 જેટલા મુસાફરો હાજર હોય 25થી વધુ પેસેન્જરોને ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ સાથે 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ હિંમતનગરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ સાથે 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.