દુર્ઘટના@મોરબી: કારનું ટાયર ફાટતાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે સવારે મોરબી પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત બનતાં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા
 
દુર્ઘટના@મોરબી: કારનું ટાયર ફાટતાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે સવારે મોરબી પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત બનતાં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસનભાઈ ઈબ્રાહીમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં અમદાવાદ કચ્છ હાઈવે પર ઈકો કારનું પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતની ઘટનામાં ચારેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જયારે ચાર-પાંચ વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસે તાત્કાલિક દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.