દુર્ઘટના@પાલનપુર: ઘરકંકાસ દરમ્યાન કાળ આવ્યો, પતિએ તીક્ષ્ણ ઘા મારતાં પત્નીનું મોત

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુર તાલુકાના ગામે એક પરિણીતાને માથાના ભાગે પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં મોત થયું છે. આજે સાંજના સમયે પતી પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઉગ્ર ઘર્ષણ થતાં પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતા ભયંકર ઈજાઓને કારણે મોત થતાં ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે આજે
 
દુર્ઘટના@પાલનપુર: ઘરકંકાસ દરમ્યાન કાળ આવ્યો, પતિએ તીક્ષ્ણ ઘા મારતાં પત્નીનું મોત

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુર તાલુકાના ગામે એક પરિણીતાને માથાના ભાગે પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં મોત થયું છે. આજે સાંજના સમયે પતી પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઉગ્ર ઘર્ષણ થતાં પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતા ભયંકર ઈજાઓને કારણે મોત થતાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે આજે પતી પત્નીના ઝગડામાં પત્નીએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આજે સાંજે ચાર વાગ્યે કોઇ અગમ્ય કારણોસર પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિ શાંતિભાઈ લક્ષ્મણભાઈ મકવાણાએ ઉશ્કેરાઈ જઈ હાથમાં આવેલ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે મારતાં પત્ની નયનાબેન શાંતિભાઈ મકવાણાનું મોત થયું હતું. આ તરફ મૃતકના પિયર વડગામના ડાલવાણા પક્ષે ફરિયાદની કોઈ તજવીજ હાથ ધરાઇ ન હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસે મૃતકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. આ તરફ હાલની સ્થિતિએ વાલ્મીકિ સમાજ કે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં ડિ.વાય એસ.પી આર.કે. પટેલ સહિત પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.