દુર્ઘટના@પાંથાવાડા: રસ્તો ક્રોસ કરતાં આધેડને ટ્રેઇલરે અડફેતાં લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા પાંથાવાડા ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલાં આધેડનું ટ્રેઇલરની અડફેટે મોત થયુ છે. આજે સવારે સ્થાનિક આધેડ રસ્તો ક્રોસ કરતાં હતા તે દરમ્યાન એક ટ્રેઇલર બેફામ ઝડપે આવતું હોઇ તેમને અડફેટે લીધા હતા. જેથી આધેડનો કમરનો ભાગ ટ્રેઇલરના ટાયરમાં આવી ગયા બાદ તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ
 
દુર્ઘટના@પાંથાવાડા: રસ્તો ક્રોસ કરતાં આધેડને ટ્રેઇલરે અડફેતાં લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા

પાંથાવાડા ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલાં આધેડનું ટ્રેઇલરની અડફેટે મોત થયુ છે. આજે સવારે સ્થાનિક આધેડ રસ્તો ક્રોસ કરતાં હતા તે દરમ્યાન એક ટ્રેઇલર બેફામ ઝડપે આવતું હોઇ તેમને અડફેટે લીધા હતા. જેથી આધેડનો કમરનો ભાગ ટ્રેઇલરના ટાયરમાં આવી ગયા બાદ તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજને ફરાર ટ્રેઇલર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના સાતસણ ગામના આધેડનું માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સાતસણ ગામના હીરાભાઇ કપુરાજી સરગરા આજે વહેલી સવારે પાંથાવાડા ચાર રસ્તા નજીક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમ્યાન એક બેફામ ટ્રેઇલરે તેમને અડફેટે લેતાં તે ટાયર નીચે આવી ગયા હતા. જેને લઇ ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને ટ્રેઇલર ચાલક વાહન મુકીને ફરાર થઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાને લઇ દિનેશભાઇ કપુરાજી સરગરાએ ફરાર ચાલક સામે પાંથાવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.