દુર્ઘટના@સિધ્ધપુર: ઝાડ પર લટકતી લાશ મળી, ભરયુવાનીમાં મોતથી ચકચાર

અટલ સમાચાર, મહેસાણા, સિધ્ધપુર(હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમાં આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આજે સવારના સમયે વાંકાકુવા પાસે ઝાડીઓમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા બાદ પોલીસને જાણ કરાઇ હતી. બાદમાં સિધ્ધપુર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ હત્યા
 
દુર્ઘટના@સિધ્ધપુર: ઝાડ પર લટકતી લાશ મળી, ભરયુવાનીમાં મોતથી ચકચાર

અટલ સમાચાર, મહેસાણા, સિધ્ધપુર(હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમાં આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આજે સવારના સમયે વાંકાકુવા પાસે ઝાડીઓમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા બાદ પોલીસને જાણ કરાઇ હતી. બાદમાં સિધ્ધપુર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ હત્યા કે આત્મહત્યા ? તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાંથી આજે સવારે 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં હડકંપ મચી ગયો છે. શહેરના પસવાદળની પોળ સિકોતર માતાના મંદીર સામે વાંકાકુવા પાસે ઝાડીઓમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક ડીસાના રહેવાસી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ સિધ્ધપુર પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ આજે સિધ્ધપુરથી મળેલી લાશમાં પણ યુવકે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ ? તે સમગ્ર મામલે હાલ સિધ્ધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પસવાદળની પોળ સામે નદીના પટમાં ઊગેલા ગાંડાબાવળીયા અસમાજીક તત્વો, નશાખોરો માટે સ્વર્ગ બનવા ઉપરાંત કાચા મનના લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થળ બની ગયું છે. આ અગાઉ એક યુવાન કપલ તથા એક યુવક આ સ્થળે આત્મહત્યા કરી ચુક્યા છે.