દુ:ખદ@સુરત: 4 મહિનામાં 2 સગાભાઇએ આપઘાત કરી લેતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. સચિનમાં રહેતો એક યુવક પોતાની પત્નીને મળવા વતન જવા માંગતો હતો પરંતુ આર્થિક સ્થિતિના કારણે વતન જવાના પૈસા નહોતા. આ અંગે તેની માતાએ ના પાડતાં તેને લાગી આવ્યું અને આ યુવકે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા
 
દુ:ખદ@સુરત: 4 મહિનામાં 2 સગાભાઇએ આપઘાત કરી લેતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. સચિનમાં રહેતો એક યુવક પોતાની પત્નીને મળવા વતન જવા માંગતો હતો પરંતુ આર્થિક સ્થિતિના કારણે વતન જવાના પૈસા નહોતા. આ અંગે તેની માતાએ ના પાડતાં તેને લાગી આવ્યું અને આ યુવકે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં સચિન વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પ્રેમિકા પત્ની મહારાષ્ટ્ર વતનમાં હતી અને પત્નીને મળવા વતન જવા માટે યુવકે પરિવારને જાણ કરી હતી. જોકે, વતનમાં જવાના રૂપિયા ન હોવાના કારણે માતા એ વતન જવાની ના પાડતા આ વાત યુવકની લાગી આવી હતી. આટલી જ વાતમાં આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના સચિન વિસ્તારમાં ચૂડા સેક્ટર 2 સોસાયટી ખાતે રહેતો કાશીરામ માંડવી વિસ્તારમાં કેક બનાવતી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. જોકે કંપનીમાં કામ કરતી એક યુવતી સાથે યુવકને પ્રેમ થઈ જતા થોડા સમય પહેલાં જ આ યુવક કે યુવતી સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન બાદ યુવતી થોડા દિવસ માટે પોતાના પીયર મહારાષ્ટ્ર ખાતે કરી હતી અને પોતાની પત્નીને મળવા માટે આ યુવાન મહારાષ્ટ્ર ખાતે જવા માગતો હતો જેને લઇને જેને માતાને મહારાષ્ટ્ર જવા માટે ની વાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાને લઈને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાને લઈને પૈસાની આર્થિક તંગીને લઈને માતાએ જવાની ના પાડી હતી આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, ઘટનાની જાણ થતા તેમણે બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા યુવકને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબોએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. ચાર મહિના પહેલાં જ આ યુવકના ભાઈએ પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પહેલાં પુત્રએ આપઘાત બાદ બીજા પુત્ર એ પણ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો જોકે સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.