દુર્ઘટના@સુરતઃ ઇમારત ધરાશાયી થતા નીચે સૂતેલા ત્રણ લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં રાંદેર રોડ ખાતે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલી એક ઇમારતનો ભાગ ધરાશાયી થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે. આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ
 
દુર્ઘટના@સુરતઃ ઇમારત ધરાશાયી થતા નીચે સૂતેલા ત્રણ લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં રાંદેર રોડ ખાતે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલી એક ઇમારતનો ભાગ ધરાશાયી થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે. આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. હાલ આ બિલ્ડીંગે ત્રણ લોકોનાં ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. હાલ મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે તંત્રએ આ દૂર્ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડરની સામે ત્રણ લોકોના મોત માટેની ફરિયાદ દાખલ કરી છે. કોરોના સંકટ વચ્ચે સતત જુદી જુદી જગ્યા પર મોટી દુર્ઘટનાો સામે આવતી હોય છે. આ સમયે સુરતના રાંદેરમાં એક દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. અને આ દુર્ઘટનાથી આજુ બાજુના પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.