દુર્ઘટના@વાવ: ભરયુવાનીમાં કેનાલમાં ઝંપલાવ્યું, શોધખોળને અંતે લાશ મળી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર પંથકની કેનાલમાં આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે ભરયુવાનીએ યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતુ. જોકે ભારે શોધખોળ બાદ આજે સવારે તેની મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે દિયોદર પોલીસે મૃતકની લાશની ઓળખવિધિ કરી
 
દુર્ઘટના@વાવ: ભરયુવાનીમાં કેનાલમાં ઝંપલાવ્યું, શોધખોળને અંતે લાશ મળી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર પંથકની કેનાલમાં આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે ભરયુવાનીએ યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતુ. જોકે ભારે શોધખોળ બાદ આજે સવારે તેની મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે દિયોદર પોલીસે મૃતકની લાશની ઓળખવિધિ કરી અને પોસ્ટમોર્ટમ માટે દિયોદર રેફરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોરદની ઓગડપુરા ગોદા નર્મદા કેનાલમાં ગઇકાલે યુવકે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વાવ તાલુકાના લાલપુરા ગામના રતિલાલ પ્રેમભાઇ દરજી(ઉ.32) અને હાલ સરસ્વતી સોસાયટીમાં ભાભરમાં રહેતા હોવાનું સામે આવ્યુ છે. જોકે ગઇકાલે બપોરે કેનાલમાં ઝંપલાવ્યા બાદ ભારે શોધખોળને અંતે છેક આજે વહેલી સવારે મૃતકની લાશને બહાર નિકાળાઇ હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે દિયોદર પોલીસ વધુ તપાસ કરી રહી છે. પરંતુ ગઇકાલે બપોરે બાર વાગ્યે કેનાલમાં ઝંપલાવ્યા બાદ સ્થાનિક તરવૈયાઓ દ્રારા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે છેક આજે સવારે સાત વાગ્યે તેમનો મૃતદેહ મળી આવતાં પોલીસે ઓળખવિધી થયા પછી રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.