દુર્ઘટના@વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં, ક્રેન પડતા 11 મજૂરનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે એક વધુ સંકટ આવી પડ્યું છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિન્દુસ્તાન શિપયાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ક્રેન પડવાથી 11 મજૂરનાં મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોડિંગ કરેલા કામની ચકાસણી કરતી વખતે ક્રેન નીચે પડી હતી. અમુક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું
 
દુર્ઘટના@વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં, ક્રેન પડતા 11 મજૂરનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે એક વધુ સંકટ આવી પડ્યું છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિન્દુસ્તાન શિપયાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ક્રેન પડવાથી 11 મજૂરનાં મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોડિંગ કરેલા કામની ચકાસણી કરતી વખતે ક્રેન નીચે પડી હતી. અમુક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલ લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે 10 લોકોનાં મોત થયાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદમાં વિશાખાપટ્ટનમ કલેક્ટર વિનય ચાંદે 11 લોકોનાં મોત થયાનું કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ અને રેસ્ક્યૂ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું કે ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. ક્રેન પડવાનો આઠ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિડેટ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠના શહેર ખાતે આવેલું છે, જેનો વહિવટ સરકાર હસ્તક છે. હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે શીપ, શીપ રિપેરિંગ, ડિઝાઇનિંગ, સબમરીન મેકિંગ સહિતના કામ થાય છે.