દુર્ઘટના@વિસનગર: વરસાદ વચ્ચે મકાનની દિવાલ ધરાશાઇ, 2 પશુઓ દબાઇ જતાં મોત

અટલ સમાચાર ડોડ કોમ, વિસનગર વિસનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ તાલુકાના ગામે મકાનની દિવાલ ધરાશાઇ થતાં દટાઇ જવાથી બે પશુઓના મોત થયા છે. આજે સવારના સમયે બનેલી ઘટનામાં પશુપાલકની લારી અને પતરા સહિતનો સામાન દિવાલ નીચે દટાઇ ગયો હતો. આ સાથે બે પશુઓના મોત થતાં ચકચાર મચી ગઇ છે.
 
દુર્ઘટના@વિસનગર: વરસાદ વચ્ચે મકાનની દિવાલ ધરાશાઇ, 2 પશુઓ દબાઇ જતાં મોત

અટલ સમાચાર ડોડ કોમ, વિસનગર

વિસનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ તાલુકાના ગામે મકાનની દિવાલ ધરાશાઇ થતાં દટાઇ જવાથી બે પશુઓના મોત થયા છે. આજે સવારના સમયે બનેલી ઘટનામાં પશુપાલકની લારી અને પતરા સહિતનો સામાન દિવાલ નીચે દટાઇ ગયો હતો. આ સાથે બે પશુઓના મોત થતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના બાકરપુરા ગામે દિવાલ ધરાશાઇ થવાની ઘટના સામે આવી છે. બાકરપુરાના લેઉવાવાસમાં રહેતાં પટેલ હસમુખભાઈ અમૃતભાઈના વાડાની બાજુમાં રહેતાં પટેલ ગોવિંદભાઇ રામચંદભાઈની દિવાલ ધરાશાઇ થઇ હતી. જેમાં દિવાલ નજીક બાંધેલી 2 વાછરડી દટાઈ જતાં મોત નિપજ્યા હતા. આ સાથે દિવાલ પડવાના કારણે 20 પતરાં અને ઘાસચારો લાવા માટેની લારી દીવાલ નીચે દટાઈ જતાં નુકશાન પહોંચ્યું હતું. દીવાલ પડતાં પશુપાલકને કુલ એક લાખથી વધુનું નુકશાન પહોંચ્યું છે.