દુ:ખદ@ગુજરાત: પૂર્વ નાણા અને આરોગ્યમંત્રી અરવિંદભાઇ સંઘવીનું નિધન, દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી અરવિંદભાઈ સંઘવીનું અવસાન થયું છે. તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ શોક વ્યક્ત કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વ.સંઘવીના જાહેર જીવનમાં એક પીઢ અને પરિપક્વ જનસેવક તરીકે આપેલા યોગદાનને
 
દુ:ખદ@ગુજરાત: પૂર્વ નાણા અને આરોગ્યમંત્રી અરવિંદભાઇ સંઘવીનું નિધન, દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી અરવિંદભાઈ સંઘવીનું અવસાન થયું છે. તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ શોક વ્યક્ત કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વ.સંઘવીના જાહેર જીવનમાં એક પીઢ અને પરિપક્વ જનસેવક તરીકે આપેલા યોગદાનને પણ સરાહનીય ગણાવી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના પૂર્વ નાણા અને આરોગ્ય મંત્રી અરવિંદભાઇ સંઘવીનું આજે દુ:ખદ અવસાન થયુ છે. આ પ્રસંગે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, જેમના સાથે એક આત્મિય નાતો રહ્યો, કોંગ્રેસ પક્ષમાં લાંબા સમય સુધી સાથે કામ કર્યું તેવા રાજ્યના પૂર્વ નાણાંપ્રધાન, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અરવિંદભાઈ સંઘવીના નિધનથી અત્યંત દુઃખ થયુ .પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્મા ને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના.