દુ:ખદ@મુંબઇ: અક્ષય કુમારની માતાનું નિધન, જાણો અભિનેતાએ ટ્વિટ કરી શું કહ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની માતાનું નિધન થયું છે. અક્ષય કુમારે પોતે આ માહિતી આપી છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું કે તે મારી કોર હતી અને આજે હું મારા અસ્તિત્વના મૂળમાં અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે શાંતિથી આ દુનિયા છોડી અને પિતા સાથે બીજી દુનિયામાં ફરી જોડાયા. હું મારા પરિવાર તરીકે તમારી પ્રાર્થનાનો આદર કરું છું અને હું આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
She was my core. And today I feel an unbearable pain at the very core of my existence. My maa Smt Aruna Bhatia peacefully left this world today morning and got reunited with my dad in the other world. I respect your prayers as I and my family go through this period. Om Shanti
— Akshay Kumar (@akshaykumar) September 8, 2021
અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ હતો. માતાની તબિયત બગડ્યા બાદ અક્ષય સોમવારે સવારે લંડનથી મુંબઈ પરત ફર્યો હતા. જણાવી દઈએ કે અક્ષય તેમની આગામી ફિલ્મ સિન્ડ્રેલા માટે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શૂટિંગ કરી રહ્યા હતા. માતાની તબિયત વિશે જાણ્યા બાદ અક્ષય લંડનમાં પોતાને રોકી શક્યા નહીં અને તરત જ ભારત પરત ફર્યા. તેમણે ભારત આવવાનું અને તેમની સાથે રહેવાનું નક્કી કર્યું હતુ.