દર્દનાકઃ રોજગારી ના મળતાં નવવિવાહિત યુગલે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક પાનીપતમાં કોરોનાના કારણે રોજગારી છૂટી જતાં લાચાર નવવિવાહિત કપલે પોતાનો જીવ આપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાનીપત જિલ્લાના રાજનગરની છે. અહીં રહેનારા 28 વર્ષીય આવેદના લગ્ન 10 ઓગસ્ટ 2020ના દિવસે વિકાસનગરની નઝમા સાથે થયા હતા. વેલ્ડિંગનું કામ કરીને જીવન ગુજારનાર આવેદનું કામ થોડા મહિના પહેલા જ છૂટી ગયું હતું.
 
દર્દનાકઃ રોજગારી ના મળતાં નવવિવાહિત યુગલે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

પાનીપતમાં કોરોનાના કારણે રોજગારી છૂટી જતાં લાચાર નવવિવાહિત કપલે પોતાનો જીવ આપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાનીપત જિલ્લાના રાજનગરની છે. અહીં રહેનારા 28 વર્ષીય આવેદના લગ્ન 10 ઓગસ્ટ 2020ના દિવસે વિકાસનગરની નઝમા સાથે થયા હતા. વેલ્ડિંગનું કામ કરીને જીવન ગુજારનાર આવેદનું કામ થોડા મહિના પહેલા જ છૂટી ગયું હતું. જોકે, વચ્ચે વચ્ચે થોડું કામ મળી જતું હતું. તેને આશા હતી કે અનલોકમાં તેને કામ મળી રહેશે. આ વચ્ચે તેના લગ્ન થયા પરંતુ અનેક દિવસોથી કામ મળતું બંધ થઈ ગયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવેદ સવારે ઘરેથી જતો હતો અને સાંજે પરત ફરતો હતો. આના કારણે બંને વચ્ચે બબાલ પણ થતી હતી. આર્થિક સંકળામણના કારણે પતિ પત્નીએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો હતો. અ

આવેદના મોટાભાઈ જાવેદના જણાવ્યા પ્રમામે તેઓ એક જ ઘરમાં રહેતા હતા. તે પહેલા માળે પરિવાર સાથે રહેતો હતો અને તેની બે નાની બહેનો છે. જેમના લગ્ન થઈ ગાય છે. એક બહેનના લગ્ન તો આવેદના લગ્નના આગળના દિવસે જ થયા હતા. આવેદ કેટલાક દિવસોથી પરેશાન હતો. પરંતુ અમને લાગ્યું કે તે જલદી સરખો થઈ જશે. નવી નવી ગૃહસ્થી સંભાળી લેશે. સવારે તે નીચે ઉતર્યો તો આવેદ અને તેની પત્ની નઝમા દેખાયા ન હતા. બારીમાંથી જોયું તે બંનેની લાશા ફંદાથી લટકતી હતી. દરવાજો તોડીને બંનેને નીચે ઉતાર્યા હતા.