બેરોજગારો, ખેડુતોની હાલત કફોડી, નેતાઓને વિમાન-હેલીકોપ્ટરની લ્હાણી થશે

અટલ સમાચાર, ગાંધીનગર વિતેલા 15 વર્ષોમાં રાજયના VVIP હેલિકોપ્ટર અને વિમાનમાં વારંવાર સજાર્તિ ટેકનિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે સરકારે 320 કરોડના ખર્ચે નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગવર્નર અને અન્ય મંત્રીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવશે. ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું
 
બેરોજગારો, ખેડુતોની હાલત કફોડી, નેતાઓને વિમાન-હેલીકોપ્ટરની લ્હાણી થશે

અટલ સમાચાર, ગાંધીનગર

વિતેલા 15 વર્ષોમાં રાજયના VVIP હેલિકોપ્ટર અને વિમાનમાં વારંવાર સજાર્તિ ટેકનિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે સરકારે 320 કરોડના ખર્ચે નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગવર્નર અને અન્ય મંત્રીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવશે.

ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બંને એરક્રાફ્ટ ખરીદવા માટે આ અઠવાડિયે જરૂરી મંજૂરી મળી ગઈ છે. આ માટે 250 કરોડ રૂપિયા ફિકસ્ડ વિંગ એરક્રાફ્ટના અને 70 થી 80 કરોડ હેલિકોપ્ટર માટે છે. હેલિકોપ્ટર માટે પાછલા વર્ષે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ ખરીદી કરાઈ નહોતી. હવે બંને માટે ટૂંક સમયમાં ગ્લોબલ ટેન્ડર્સ મંગાવાશે.

નવું ફિકસ્ડ-વિંગ એરક્રાફ્ટ 12 સીટર હશે અને તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૂચવેલા ખાસ સિકયોરિટી ફીચર્સ હશે. રાજય સરકાર વર્ષ 2016થી નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણી અને પછી 2019ની લોકસભા ચૂંટણીના કારણે વિવાદ ન થાય તે માટે ખરીદી પડતી મૂકાઈ હતી. આ પહેલા એરક્રાફ્ટ ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર મગાવાયા હતા પરંતુ પછી કેન્સલ કરી દેવાયા હતા. સરકારે હવે નવા એરક્રાફ્ટના ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

રાજય પાસે હાલમાં રહેલું ફિકસ્ડ-વિંગ એરક્રાફ્ટ 1999માં અને હેલિકોપ્ટર 2007માં ખરીદાયેલુ છે. આ બંનેમાં ટેકનિકલ ખામી અને મેઈન્ટેન્સ માટે વાર્ષિક 5 કરોડનો ખર્ચ થતો. ઉપરાંત મોટાભાગના સમયે તેમાં ટેકનિકલ ખામીના કારણે રિપેર કરવામાં લાંબો સમય લાગતો. એવામાં મુખ્યમંત્રી માટે પ્રાઈવેટ પ્લેન ભાડે લઈને ઉપયોગ કરાતો. જેમાં પણ ખૂબ ખર્ચ આવતો. વર્ષ 2017માં મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને બે વખત ઈમરજન્સી લેન્ડીંગ કરવા પડ્યું હતું. ત્યારથી મુખ્યમંત્રીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મોટેભાગે પ્રાઈવેટ હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરાય છે