ઉત્તરાખંડ: સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, કુલ 14ના મોત

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી પ્રભાવિત નદીના જળ સ્તરમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, નીચાણવાળા વિસ્તારોના ગામોને કોઈ તકલીફ નથી પડી. હવે રાજ્યના અન્ય ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે કોઈ ખતરો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મૃતકોના પરિવારોને PMNRFથી બે-બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
 
ઉત્તરાખંડ: સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, કુલ 14ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી પ્રભાવિત નદીના જળ સ્તરમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, નીચાણવાળા વિસ્તારોના ગામોને કોઈ તકલીફ નથી પડી. હવે રાજ્યના અન્ય ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે કોઈ ખતરો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મૃતકોના પરિવારોને PMNRFથી બે-બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ કહ્યું કે આ ઘટનામાં જે લોકોના મોત થયા છે, તેમના પરિવારોને રાજ્ય સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે.

આ ઉપરાંત સીએમ રાવતે કહ્યું કે અમારી સેનાના લોકો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટીથી ત્યાંથી સેના, પેરામિલિટ્રી ફોર્સેઝ અને અમારા રાજ્યના ડોક્ટ્ર કેમ્પ કરેલા છે. જ્યારે અમે ત્યાંનું હવાઈ સર્વે કર્યો છે. ત્યારબાદ રેણી ગાંવ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રોડથી જઈને નિરિક્ષણ કર્યું છે. એટલા માટે પહેલા રાવતે જણાવ્યું કે આઈટીબીપીના જવના દોરડાથી સુરંગની અંદર જઈને 150 મિટર સુધી પહોંચ્યા છે. જોકે, આ સુરંગ લગભગ 250 મિટર લાંબી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે 13 મેગાવોટના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં 35 લોકો કામ કરતા હતા જે તમામ લાપતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પોલીસના બે જવાનો પણ લાપતા છે. તપોવન પાવર પ્રોજેક્ટમાં 176 શ્રમિક કામ કરી રહ્યા હતા. આ ક્ષેત્રમાં એક મોટા અને ચાર નાના પુલોને નુકસાન પહોંચ્યું છે. પોતાના 180 ઘેટાં-બકરા સાથે પાંચ સ્થાનિક ગોવાળો પણ પુરમાં તણાઈ ગયા છે. અમે માની રહ્યા છીએ કે લગભગ 125 લોકો ગાયબ છે. આ સંખ્યા વધી શકે છે.