વડગામ: જલોતરા નાગરિક શરાફી મંડળીના ચેરમેનની બિનહરીફ વરણી

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકાના જલોતરા ગામે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત જલોતરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન પદે ગણેશભાઇ.એલ.ગોળ તથા વાઇસ ચેરમેન પદે અંબાલાલ.એમ.પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મંડળીની સ્થાપના થી આજ સુધી ચેરમેન પદે ધનરાજભાઇ.એન.ભટોળ તથા વાઇસ ચેરમેન કાંતીભાઇ મેવાડાની કામગીરી ખુબજ સરાહનીય રહી હતી, જેથી મંડળીએ જીલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ
 
વડગામ: જલોતરા નાગરિક શરાફી મંડળીના ચેરમેનની બિનહરીફ વરણી

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના જલોતરા ગામે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત જલોતરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન પદે ગણેશભાઇ.એલ.ગોળ તથા વાઇસ ચેરમેન પદે અંબાલાલ.એમ.પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મંડળીની સ્થાપના થી આજ સુધી ચેરમેન પદે ધનરાજભાઇ.એન.ભટોળ તથા વાઇસ ચેરમેન કાંતીભાઇ મેવાડાની કામગીરી ખુબજ સરાહનીય રહી હતી, જેથી મંડળીએ જીલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. અગાઉ સાધારણ સભામાં જ સ્વેચ્છાએ હોદ્દા પરથી નિવૃત થવાની જાહેરાત કરી હતી. જે હાલના સમયમા સત્તાત્યાયનુ પ્રેરક ઉદાહરણ પુરુ પાડેલ છે. મંડળીના ડિરેક્ટરો દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.