વડાલી: પાલિકા દ્રારા કોરોના વાયરસને લઇ ઉકાળાનું વિતરણ કરાયું
અટલ સમાચાર, વડાલી
કોરોના વાયરસના કહેર વચ્ચે વડાલી પાલિકા દ્રારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસના કારણે 180 દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાયો છે. વડાલીમાં પણ કોરોના વાઈરસ ચેપથી બચવા માટે આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલોએ ઉકાળાનો લાભ લીધો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાની વડાલી નગરપાલિકા દ્રારા કોરોના વાયરસને લઇ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વડાલીમાં પણ કોરોના વાઈરસ ચેપથી બચવા માટે આયુર્વેદિક અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વડાલી નગરપાલિકાની સામે અને ધરોઈ ત્રણ રસ્તા પર કેમ્પ કરી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કે.ડી.પરમાર, કીર્તિભાઈ જયસ્વાલ, ચીફ ઓફિસર સહિત ઉપસ્થિત રહીને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.