વડોદરા: પોલીસ પર પથ્થરમારો કરનારા પાંચેય આરોપીઓને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવાત છે. ત્યારે વડોદરા શહેરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરામાં નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરનારા પાંચેય આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 26 એપ્રિલે નાગરવાડા વિસ્તારમાં કારેલીબાગ પોલીસ પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. મેડિકલ તપાસ દરમ્યાન 5 આરોપીઓનો કોરોના
 
વડોદરા: પોલીસ પર પથ્થરમારો કરનારા પાંચેય આરોપીઓને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવાત છે. ત્યારે વડોદરા શહેરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરામાં નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરનારા પાંચેય આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 26 એપ્રિલે નાગરવાડા વિસ્તારમાં કારેલીબાગ પોલીસ પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. મેડિકલ તપાસ દરમ્યાન 5 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે બાદ પોલીસ દ્વારા બાકીના પાંચેય આરોપીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ચાલતા લઇ જવાયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં નાગરવાડામાં પોલીસ પર પત્થરમારો કરનાર પાંચેય આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પાંચેય પોઝિટિવ આરોપીઓ નાગરવાડા વિસ્તારના જ હોવાનું સામે આવ્યુ છે. નોંધનિય છે કે, 26મી એપ્રિલે નાગરવાડામાં કારેલીબાગ પોલીસ પર હુમલો થયો હતો. પોલીસ પર હુમલાના બનાવમાં 10 લોકોની ધરપકડ થઈ હતી. મેડિકલ તપાસમાં 5 આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે બાકીના 5 આરોપીને સોશ્યલ ડિસ્ટન્સમાં ચાલતા લઈ જવાયા હતા.