Valentine’s day: મંજિલ ન મળી પણ મધુબાલાની ઇશ્કની દાસ્તાન આજે પણ યાદ કરાય છે

અટલ સમાચાર ડેસ્ક 14 ફેબ્રુઆરીને પ્રેમનાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે યુવાધન પોતાના પ્રિય વ્યક્તિ સાથે પ્રેમનો એકરાર કરતા જોવા મળે છે. પ્રેમની અનેક કહાનીઓ આજે પણ મહસુર છે અને સાંભળવા મળતી હોય છે. તમને યાદ કરાવવું જરૂરી છે કે વેલેન્ટાઇન ડેના દિવસે બોલિવુડની જાણીતી અભિનેત્રી મધુબાલાનો જન્મ દિવસ છે. તે પોતાની ખુબસુરતીથી
 
Valentine’s day: મંજિલ ન મળી પણ મધુબાલાની ઇશ્કની દાસ્તાન આજે પણ યાદ કરાય છે

અટલ સમાચાર ડેસ્ક

14 ફેબ્રુઆરીને પ્રેમનાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે યુવાધન પોતાના પ્રિય વ્યક્તિ સાથે પ્રેમનો એકરાર કરતા જોવા મળે છે. પ્રેમની અનેક કહાનીઓ આજે પણ મહસુર છે અને સાંભળવા મળતી હોય છે. તમને યાદ કરાવવું જરૂરી છે કે વેલેન્ટાઇન ડેના દિવસે બોલિવુડની જાણીતી અભિનેત્રી મધુબાલાનો જન્મ દિવસ છે. તે પોતાની ખુબસુરતીથી આકર્ષક અદાથી જાણીતી હતી. ફિલ્મ ‘તરાના’નાં સેટ પર તેમની મુલાકાત દિલીપ કુમાર સાથે થઇ ત્યારે દિલિપ કુમાર પણ પોતાનું દિલ તેને દઇ બેઠા હતા. પણ અફસોસ…. બંન્નેનાં પ્રેમને મંઝિલ તો મળી ન હતી પરંતુ તેના કિસ્સા એટલા મશ્હૂર થયા કે આજે પણ લોકો કિસ્સાઓ સાંભળે છે. બંન્નેએ ‘મુગલ-એ- આઝમ’ની શૂટિંગ સાથે જ પુરી કરી પરંતુ તે વખતે પરિસ્થિતિ એટલી બગડી કે બંન્ને સેટ પર એકબીજા સાથે વાત પણ કરતાં ન હતાં.

મધુબાલાએ એક પત્ર અને એક ગુલાબ મોકલીને દિલીપને પોતાનાં દિલની વાત કરી હતી. જેને તરત તેમણે સ્વીકારી પણ લીધું હતું. પરંતુ જેવી આ ખબર મધુબાલાનાં પિતા સુધી પહોંચી કે મુશ્કેલીઓ આવવા લાગી હતી. મધુબાલાનાં પિતા અતાઉલ્લા ખાન પોતાની દીકરી પર કડક નજર રાખતા થઇ ગયાં. ડાયરેક્ટર બી.આર ચોપડા આ બંન્ને સાથે ‘નયા દૌર’ની શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યાં હતાં. આ ફિલ્મ મુંબઇથી બહાર શૂટ થવાની હતી પરંતુ પિતાએ કહ્યુ કે જો મુંબઇમાં સુટીંગ નહી થાય તો મધુબાલા આ ફિલ્મમાં કામ નહી કરે.

બી આર ચોપડાએ મધુબાલાની જગ્યાએ વૈજ્યંતીમાલાને ફિલ્મમાં લઇ લીધા હતાં અને મધુબાલાની કટ કરેલી તસવીર છાપાઓમાં છપાવી દીધી. જેનાથી આખો મામલો એટલો બગડી ગયો કે કોર્ટ સુધી પહોંચી ગઇ. જ્યાં દિલીપ કુમારને પણ ગવાહી આપવા જવું પડ્યું. કોર્ટમાં દિલીપ કુમારે કહ્યું હતું કે, હાં હું મધુને પ્રેમ કરૂં છું અને કરતો રહીશ.