વલસાડ: શાળાના મેદાનમાં વિદ્યાર્થીએ ઝાડ પર લટકી આપઘાત કરતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક વલસાડ : જિલ્લાની એક સ્કૂલમાં વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં આવેલા ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારનેરાની સાર્વજનિક શાળામાં શુક્રવારે સવારે આ બનાવ બન્યો હતો. શાળા ખુલતા જ
 
વલસાડ: શાળાના મેદાનમાં વિદ્યાર્થીએ ઝાડ પર લટકી આપઘાત કરતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ : જિલ્લાની એક સ્કૂલમાં વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં આવેલા ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારનેરાની સાર્વજનિક શાળામાં શુક્રવારે સવારે આ બનાવ બન્યો હતો. શાળા ખુલતા જ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આપઘાત પહેલા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બ્લેક બોર્ડ પર અંગ્રેજીમાં “સોરી” લખ્યું હતું. જે બાદમાં તે ઝાડ પર ચડીને ડાળી પર લટકી ગયો હોવાનો અંદાજ છે. બનાવની જાણ થતાં જ સ્કૂલ ખાતે પોલીસ ઉપરાંત લોકોને ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક સ્કૂલમાં આવો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આપઘાત કરવા માટે વિદ્યાર્થી સ્કૂલ પરિસર ખાતે જ આવેલા ઊંચા ઝાડ પર ચડ્યો હતો. જે બાદમાં ઝાડની ડાળી પર દોરડું બાંધીને લટકી ગયો હતો. 13-14 વર્ષના વિદ્યાર્થીએ શા માટે આપઘાત કરી લીધો છે, તે અંગેના કારણની તપાસ પોલીસ કરી રહી છે.