ચુકાદો@દેશ: રાફેલમાં સરકારને રાહત, રાહુલને માફી, સબરીમાલા લાર્જર બેંચને સોંપાયો

અટલ સમાચાર, ડેસ્ક સબરીમાલા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં મહિલાઓના પ્રવેશ પર હાલ મનાઈ લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. તેની સાથે જ આ મામલાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને મોકલી આપ્યો છે. હવે સાત જજોની બેન્ચ આ મામલામાં પોતાનો ચુકાદો આપશે. બે જજોની અહસમતિ બાદ આ કેસ લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, માનહાનિ
 
ચુકાદો@દેશ: રાફેલમાં સરકારને રાહત, રાહુલને માફી, સબરીમાલા લાર્જર બેંચને સોંપાયો

અટલ સમાચાર, ડેસ્ક

સબરીમાલા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં મહિલાઓના પ્રવેશ પર હાલ મનાઈ લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. તેની સાથે જ આ મામલાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને મોકલી આપ્યો છે. હવે સાત જજોની બેન્ચ આ મામલામાં પોતાનો ચુકાદો આપશે. બે જજોની અહસમતિ બાદ આ કેસ લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી દીધી છે. તેમની સામે કોર્ટના અનાદરનો કેસ નહીં ચાલે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે.

ચુકાદો@દેશ: રાફેલમાં સરકારને રાહત, રાહુલને માફી, સબરીમાલા લાર્જર બેંચને સોંપાયો
File Photo

સબરીમાલા વિવાદ પર ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશે. પોતાના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંપરાઓ ધર્મના સર્વોચ્ચ સર્વમાન્ય નિયમો મુજબ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના ચુકાદાને કાયમ રાખતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને ચાલુ રાખ્યો છે અને તેની પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુપ્રીમ કોર્ટથી રાફેલ ડીલમાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેન્ચે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને એવું નથી લાગતું કે આ મામલામાં કોઈ FIR દાખલ થવી જોઈએ કે પછી કોઈ પ્રકારની તપાસ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે એ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે હજુ આ મામલામાં એક કૉન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા એફિડેવિટમાં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો છે.

માનહાનિ કેસમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરી કરી દીધી. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલની વિરુદ્ધ કોર્ટ અનાદરનો કેસ નહીં ચાલે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેઠેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવા જોઈએ. કોર્ટને રાજનીતિ વિવાદમાં સામેલ ન કરવી જોઈએ. રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી. અમે માફીને મંજૂર કરી દીધી છે.