ચેતવણી@SBI: હેકર્સ કોરોનાના નામે ખોટો ઈમેઇલ મોકલી ખાતા કરી શકે છે ખાલી

અટલ સમાચાર, ડેસ્ક પોતાના ગ્રાહકોને સંભવિત સાયબર હુમલા અંગે ચેતવણી આપી છે. બેંકે રવિવાર સાંજે એક પોસ્ટ શેર કરીને ગ્રાહકોને સાવધાન રહેવા જણાવ્યું હતું. પોસ્ટમાં કેટલાક મોટા શહેરોમાં સંભવિત સાયબર હુમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એસબીઆઈએ ગ્રાહકોને અપીલ કરી છે કે, ગઠિયાઓ COVID-19ના નામ પર ખોટો ઈમેઇલ મોકલીને તેમની વ્યક્તિગત અને નાણાંકીય જાણકારી
 
ચેતવણી@SBI: હેકર્સ કોરોનાના નામે ખોટો ઈમેઇલ મોકલી ખાતા કરી શકે છે ખાલી

અટલ સમાચાર, ડેસ્ક

પોતાના ગ્રાહકોને સંભવિત સાયબર હુમલા અંગે ચેતવણી આપી છે. બેંકે રવિવાર સાંજે એક પોસ્ટ શેર કરીને ગ્રાહકોને સાવધાન રહેવા જણાવ્યું હતું. પોસ્ટમાં કેટલાક મોટા શહેરોમાં સંભવિત સાયબર હુમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એસબીઆઈએ ગ્રાહકોને અપીલ કરી છે કે, ગઠિયાઓ COVID-19ના નામ પર ખોટો ઈમેઇલ મોકલીને તેમની વ્યક્તિગત અને નાણાંકીય જાણકારી ચોરી રહ્યાં છે. આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે. આ હેકર્સ બેંકની માહિતી લઇને એકાઉન્ટ હેક કરી લે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SBIએ રવિવારે એક ટ્વિટમાં લખ્યું કે, અમારી જાણમાં આવ્યું છે કે, ભારતનાં મોટા શહેરોમાં એક સાયબર હુમલો થવાનો છે. ncov2019@gov.in પરથી આવતા ઇમેઇલ કે જેનો સબ્જેક્ટ ‘ ફ્રી COVID-19 ટેસ્ટ’ હોય તની પર ક્લિક ન કરો.

એસબીઆઈએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, આશરે 20 લાખ ભારતીયોની ઇમેઇલ આઇડી સાયબર અપરાધીઓએ ચોરી કરી લીધી છે. હેકર્સ ઇમેઇલ આડી ncov2019@gov.in પરથી લોકોનો મફતમાં કોરોના ટેસ્ટ કરવાના નામ પર તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી મેળવી લે છે. એસબીઆઈએ દેશનાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચૈન્નઇ અને અમદાવાદનાં લોકોને આ ફ્રોડ ઇમેઇલ અંગે વિશેષ રીતે સાવધન રહેવા કહ્યું છે.