ગુજરાતમાં હાલના આ મંદિરમાં લોકો જ્યારે તેમની બાધા પૂર્ણ કરે છે ત્યારે લાડુ અને મીઠાઈને બદલે પાણીની બોટલ ચઢાવે છે.
આ મંદિર દેખાવમાં ભવ્ય નથી, પરંતુ પાટણ થી મોઢેરા જતા રસ્તામાં તમને તે રસ્તાની બાજુમાં જોવા મળશે, જે સામાન્ય ઈંટોથી બનેલું છે
વાસ્તવમાં, 21 મે, 2013ના રોજ અહીં એક ઓટો રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ ઓટોમાં 2 બાળકો પણ હતા, બાળકો એટલા તરસ્યા હતા કે તેઓ સતત પાણી માંગી રહ્યા હતા પરંતુ કોઈએ પાણી ન આપ્યું અને પછી તે મૃત્યુ પામ્યા.
આવી સ્થિતિમાં, તે બંને બાળકોને ભગવાન માનીને, સ્થાનિક લોકોએ કેટલીક ઇંટોનું એક નાનું મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા કરવાનું શરૂ કર્યું.
આ સાથે માર્ગ અકસ્માતો પણ ઓછા થઇ ગયા.
12 થી 100 બોટલ અને હજારો પાણીના પેકેટ અહીં પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે.