અહીં આહિર સમાજની બહેનો દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. બે દિવસના આ આયોજનમાં 37000 આહિર સમાજની બહેનોએ મહારાસ રમી રહી છે.
પરંપરાગત પરિધાન અને સોનાના આભૂષણોમાં સજ્જ થઈ આહિર સમાજની બહેનો રાસ રમતી જોવા મળી હતી.
આજની નવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિથી માહિતગાર થાય અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ અનુભવે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ મહારાસ થકી દ્વારકાધિશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી સજીવન થયો છે.
આ મહારાસના આયોજન થકી હજારો ગોપીઓ વચ્ચે જાણે ભગવાન શ્રીકૃષ્ણ ખુદ રાસ રમવા આવ્યા હોય તેવુ હરકોઈ અનુભવી રહ્યુ હતુ.
જો કે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો એકતા અને શાંતિ સંદેશ તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાનો હતો.
આ સમગ્ર આયોજન થકી 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ તો જીવંત થયો જ છે સાથોસાથ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના આતિથ્ય સત્કારનો પણ દર્શન થયા છે.
પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી તેમણે આ જ ધરા પર રાસ રમ્યો હતો.