સૂર્ય નમસ્કાર માટે ભારતનું આદિત્ય-L1 રવાના,

વિશ્વમાં વાગશે ભારતનો ડંકો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

ભારતીય અવકાશ એજન્સી ISRO એ આદિત્ય L1 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યુ છે

આદિત્ય એલ-1ને સૂર્ય પર પહોંચવા માટે ચંદ્રયાન-3 કરતા ચાર ગણું અંતર કાપવું પડશે.

આ મિશન ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે.

આદિત્ય, જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે

અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે.

મિશનનો ઉદ્દેશ્ય સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનો અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L-1 બિંદુ પર સ્થાપિત કરવાનો છે.

ISRO આ ઉપગ્રહમાં સાત પેલોડ મોકલી રહ્યું છે,

આ તમામ પેલોડ્સ કોરોનલ ટેમ્પરેચર, માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર, સ્પેસ વેધર, સૂર્યની આસપાસના કણો વગેરે વિશે માહિતી આપશે.

તમામ પેલોડ્સનો ઉપયોગ ચિત્રો લેવા, તાપમાન માપવા , અન્ય સંશોધન કરવા માટે કરવામાં આવશે

ભારત પહેલા અમેરિકા, જાપાન, યુરોપ, ચીન પણ તેમના સોલાર મિશન લોન્ચ કરી ચૂક્યા છે.