અમદાવાદનું ચમત્કારિક હનુમાનજી મંદિર વિઝા માટે લોકો અહીં રાખે છે માનતા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,

આ હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે.

આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો વધારે આવે છે. કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.

આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાયા છે.

હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે.

પૂજારી તમારા પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે

અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે, સંકલ્પ મુકાવ્યા પછી વિઝા મળી જાય છે.

છેલ્લા 20 વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે.

હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે.

આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે.

આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે.

કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે

વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે.

માત્ર ગુજરાત જ નહીં પણ

સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે