આઈના મહેલ ભુજ, ગુજરાત, ભારતમાં ૧૮મી સદીનો મહેલ

આઈના મહેલ એ ભારતના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે.

આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો

મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.

૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો.

પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે.

આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ,

દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.

આઇના મહેલ ભુજ નુ એક મુખ્‍ય પ્રવાસન આકર્ષણ છે.

અહીંનો ફલોર પણ અરીસાથી ઢંકાયેલો છે. અહીં વિવિધ પ્રકારના ફુવારા પણ આવેલા છે.