અજમલગઢ ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે.
ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે
હાલમાં આ ડુંગરની ટોચ સુધી નાનાં વાહન (જીપ) દ્વારા પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવેલ છે
આ વ્યૂહાત્મક સ્થળ પહેલાંના સમયનો ઇતિહાસ ધરાવે છે.
મહારાષ્ટ્રથી સુરત આવવાના સમયે લશ્કરી દૃષ્ટિએ મહત્વના આ વ્યૂહાત્મક સ્થળે રોકાણ કરતા હોવાનો ઇતિહાસ છે
પારસીઓના આતશ બહેરામ (પવિત્ર અગ્નિ) પણ અહીં રાખવામાં આવ્યો હોવાનો પણ ઇતિહાસ છે.
અને રાજા જાદીરાણાનાં રાજયમાં આશરો લીધો હતો.
હાલમાં આ સ્થળે તેની પવિત્ર યાદગીરી રૂપે ૨૧ ફૂટ ઊંંચા સ્મૃતિ-સ્તંભની સ્થાપના કરવામાં આવેલ છે