બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે.
અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ, અર્જુન રામપાલની દિલ તુમ્હારા હૈ જેવા બોલીવુડ ચલચિત્રોનું છાયાચિત્રણ અહીં થયું હતું.
પેલેસ નદીના પટ, ઝાડીઓ, ખેતીની જમીન, જંગલ વિસ્તાર અને આદિવાસી ગામડાઓની વચ્ચે આવેલો છે.
તેમાં ચાર ગોલ્ડ રૂમ, બાર પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટ એમ ત્રણ પ્રકારના રહેવાના ઓરડાઓની વ્યવસ્થા પણ છે
બાલારામ પેલેસ માં ૭૦ જેટલા વ્યક્તિઓ બેસી શકે તેવો સભા માટેનો ખંડ પણ આવેલો છે.