આ પૌરાણિક મંદિર છે.આ સાથે જ, બાજુમાં દરિયા કિનારો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પણ આવે છે.
મંદિર દરિયા કિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે.
જ્યારે પણ તે વહાણ લુંટવા જતો હતો, ત્યારે માતાજીની રજા લઈને જતો હતો. આજની તારીખમાં પણ કાળિયા ભીલની કોઠી આવેલી છે.
આ દરિયાનો રમણીય નજારો માણવા લોકો દૂર દૂરથી આવે છે. દરિયા કિનારે સુંદર પવનનો આનંદ માણે છે.
આ મહિનામાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે. ચૈત્રિ પુનમને દિવસે અહીંયા મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા આવે છે.
અમુક લોકો દરિયા કિનારે બેસી નાસ્તો પણ કરે છે. શિયાળાની ઋતુમાં અહીં દૂર દૂરથી વિદ્યાર્થીઓના પ્રવાસ પણ આવે છે.
મહુવાથી કળસાર થઈને પણ ઊંચા કોટડા એસટી બસ મારફતે તથા પ્રાઇવેટ વાહન મારફતે આવી શકાય છે.