14 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાન 3એ આજે 23 ઓગસ્ટના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે.
ઈસરોની આ સફળતા બાદ સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ છે.
પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે.આજે આપણે અવકાશમાં નવા ભારતની નવી ઉડાન જોઈ છે.
પ્રજ્ઞાન રોવર લેન્ડિંગના 2 કલાક બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર ભારતની જીતનું ચિન્હ છોડશે.
ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી શીખ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની સફળ સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરી હતી.