સ્વસ્થ રહેવા કરો છો મોર્નિંગ વોક?

તો આ વાત જાણી લો, નહીંતર પડશો બીમાર

લોકો તંદુરસ્ત રહેવા માટે મોર્નિગ વોકનો સહારો લેતા હોય છે

હાલ વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી મોર્નિંગ વોક કરતી વખતે અનેક લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન બદલાતાની સાથે ઘણા પ્રકારના બેક્ટેરિયા પવન દ્વારા

તમારા શરીરમાં પ્રવેશી શકે છે, જેથી તમે બીમાર પણ થઇ શકો છો.

હવામાનમાં આવેલા ફેરફારને કારણે હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

તાવ સહિત અન્ય પ્રકારના દર્દીઓ પોતાની સારવાર માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તેમની વચ્ચે ઘણા લોકો છે, જેઓ રોજ મોર્નિંગ વોક કરે છે.

આવી સ્થિતિમાં અસ્થમા સહિત શ્વાસની અન્ય પ્રકારની બીમારીઓથી

પીડાતા દર્દીઓએ મોર્નિંગ વોક કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ.

જો તમે દરરોજ મોર્નિંગ વોક પર જાવ છો,

તો તમારે યોગ્ય સમય પસંદ કરવો જોઈએ. જે સમયે સૂર્યપ્રકાશનું કિરણ અને હલકો તડકો દેખાય, તે સમય બાદ જ મોર્નિંગ વોક પર જવું જોઈએ

ધુમ્મસની વચ્ચે મોર્નિંગ વોક પર જાઓ છો,તે તમારા સ્વાસ્થ્ય માટે એકદમ હાનિકારક હોઈ શકે છે.

સવારે સૂર્યપ્રકાશ નીકળે તે પહેલાં અમુક બેક્ટેરિયા સક્રિય હોય છે, જે માનવ શરીરમાં પ્રવેશે છે અને તેના કારણે બીમારી વધી જાય છે.

જયારે હવામાનમાં ફેરફાર થાય, તે સમયે ભોજન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તેમનું કહેવું છે કે, જો તમે રોજ તમારા આહારમાં ફળ અને લીલા શાકભાજીના સલાડનો ઉપયોગ કરશો, તો તમે સ્વસ્થ રહેશો.