વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો?

શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.

સૌથી પહેલાં તો હંમેશા બાંધેલો લોટ તે સમયે જ ઉપયોગમાં લેવો જોઇએ

નહીં તો તેને રાખી મૂકવાથી તેમાં ઘણાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને પછી તેને ખાવાથી સ્વાસ્થ્યને બહુ જ નુકસાન થાય છે.

લોટ બાંધીને તેને ફ્રિઝમાં મૂકવાથી તેમાં ફ્રિઝનાં હાનિકારક કિરણો પ્રવેશે છે

અને તે લોટને ખરાબ કરી દે છે. તેમાં રહેલા પોષકત્ત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે.

એવામાં જ્યારે ફ્રિઝમાં રાખેલા લોટની રોટલી બનાવીને ખાવામાં આવે તો

શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે.

આ વિશે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે

લોટ બાંધીને ફ્રિઝમાં ક્યારેય ન મૂકવો જોઇએ

વાસી લોટની રોટલીનો સ્વાદ ખરાબ આવે છે.

વાસી લોટની રોટલી ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે.

આ ઉપરાંત અગાઉથી લોટ બાંધી રાખવાથી તેમાં વાસ આવી જાય અથવા તો

ફુગાઈ જાય છે. ઠંડકના કારણે બેક્ટેરિયા પણ વધે છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે. તેથી હંમેશાં તાજું ખાવ અને હેલ્ધી રહો.

લોટને રાખી મૂકવાથી તેમાં ફર્મેન્ટેશન અર્થાત્ આથો આવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

જેના કારણે તેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને કેમિકલ્સ પેદા થવા લાગે છે. જે સ્વાસ્થ્ય અને પેટ બંનેને નુકસાન પહોંચાડે છે.